સિહોર શહેર રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ આયોજિત શ્રી મહર્ષિ વાલ્મીકિ પ્રગટ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે જેમાં સંતો મહંતો અગ્રણી આગેવાનોને નિમંત્રણ પાઠવાયું છે આજે તા9 રવિવારે શરદ પૂર્ણિમાંના પવિત્ર દિવસે સિહોર શહેર રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ આચોજિત શ્રી મહર્ષિ વાલ્મીકિ પ્રગટ દિવસની ઉજવણીનું આયોજન થનાર છે જેમાં શોભાયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે રાષ્ટ્રીય વાલ્મીકિ ધર્મ સમાજ આયોજિત સમગ્ર મહોત્સવ વણકર સમાજની વાડી આંબેડકર નગર સિહોર ખાતે યોજનાર છે કાર્યક્રમમાં ખાસ શ્રી કલ્યાણદાસ બાપુ અને શ્રી બાબુરામ મહારાજ ખાસ હાજરી આપી દીપપ્રાગટય કરશે કાર્યક્રમમાં મુખ્ય અતિથી માનનીય મેયરશ્રી કિ્તીબેન, નાનજીભાઈ વાળોદરા, મહેશભાઈ ઝાપડીયા, ડાયાભાઇ રાઠોડ, મિલનભાઈ કુવાડિયા, કેશુભાઈ સોલંકી, માવજીભાઈ મકવાણા, દિલબાગ ટાંક, વિરસતપાલ વેદ, હરપાલસિહ, પ્રદિપસિહ, અશોકભાઈ ચૌહાણ, દિનેશભાઈ વાલ્મીકિ, સત્નીભાઈ વાલ્મિકી, અમિતકુમાર સહિતનાઓ ઉપસ્થિત રહેશે સમગ્ર મહોત્સવને સફળ બનાવવા અશોકભાઈ ચોહાણ, વિપુલભાઈ હાવળીયા, જીવરાજભાઈ વાધેલા, હર્ષદભાઈ ગોહિલ, રાકેશભાઈ મકવાણા, જયેશભાઈ વાધેલા, નયનભાઈ પરમાર, કુમાર મામા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે . . . . . . .