ભાવનગર જિલ્લામાં ગુજરાત ગૌરવ યાત્રા વલભીપુર, ગારિયાધાર, પાલિતાણા, સિહોર, તળાજા અને મહુવામાં કેન્દ્રીય અગ્રણીઓની યોજાશે સભાઓ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી અર્જુનરામ મેઘવાળ તથા શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત જોડાશે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા યોજાયેલ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાવનગર જિલ્લામાં કેન્દ્રીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભાઓ યોજાશે. ગુજરાત ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લામાં શુક્રવાર તથા શનિવાર દરમિયાન પસાર થશે જેના પ્રારંભે રોહિશાળા પાસે સ્વાગત કાર્યક્રમ યોજાશે. યાત્રા કાર્યક્રમ મુજબ પ્રથમ દિવસ શુક્રવારે સવારે વલભીપુર, બપોર બાદ ગારિયાધાર અને સાંજે પાલિતાણા ખાતે સભાઓ યોજાશે. પહેલા દિવસની સભાઓમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તથા શ્રી અર્જુનરામ મેઘવાળ અને શ્રી ગોરધનભાઈ ઝડફિયા જોડાશે. પાલિતાણા ખાતે રાત્રી રોકાણ બાદ શનિવારે સવારે સિહોર, બપોર બાદ તળાજા અને સાંજે મહુવા ખાતે સભાઓ યોજાશે. બીજા દિવસની સભાઓમાં કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને શ્રી વિનોદભાઈ મોરડિયા જોડાશે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય અગ્રણીઓની અલગ અલગ સભાઓ ઉપરાંત જે જે ગામોમાં સ્વાગત સન્માનના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. કેન્દ્રીય નેતાઓ સાથે રાજ્યના સ્થાનિક અગ્રણીઓ ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો જોડાયેલ છે. ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ શ્રી મૂકેશભાઈ લંગાળિયા સાથે સાંસદ શ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ અને જિલ્લા તાલુકા પંચાયત પદાધિકારીઓ સંકલનમાં રહ્યા છે. આ યાત્રા માટે ભાજપ સંગઠનની તમામ પાંખ ઉત્સાહ સાથે આયોજનમાં રહેલ છે.