આર્થિક વૃદ્ધિ અને વધતી મોંઘવારીએ ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય ચિંતા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે આગામી કેન્દ્રીય બજેટમાં આ પડકારો ફોકસમાં રહેશે. બીજી તરફ, નાણા મંત્રાલયની સપ્ટેમ્બર મહિના માટે જાહેર કરવામાં આવેલી આર્થિક સમીક્ષા બેઠકમાં જણાવાયું હતું કે, 2022-23ના પ્રથમ છ મહિનામાં ભારતનું આર્થિક પ્રદર્શન “પ્રભાવશાળી” રહ્યું છે.
નાણા મંત્રાલયના સમીક્ષા અહેવાલ મુજબ, 2022-23ના પ્રથમ છ મહિનામાં ભારતનું આર્થિક પ્રદર્શન વિશ્વની સરખામણીમાં પ્રભાવશાળી રહ્યું છે. પીએમઆઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અનુસાર, એપ્રિલથી સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતની આર્થિક પ્રવૃત્તિનું સ્તર 56.7 હતું, જે વિશ્વ સ્તરના 51.0ની તુલનામાં વધુ સારું છે. નાણા મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં આ વાત કહેવામાં આવી છે.
“જ્યારે જથ્થાબંધ મોંઘવારી મે 2022માં 16.6 %ની ટોચેથી ઘટીને સપ્ટેમ્બર 2022માં 10.7 % થયો છે. આ કોમોડિટીના ભાવ અને સરકારી પગલાંમાં મધ્યસ્થતાને કારણે છે. રિટેલ ફુગાવો આરબીઆઈના ઉચ્ચ સહનશીલતા બેન્ડથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે છે. જો કે, લણણી અને પ્રાપ્તિની મોસમ નજીક આવતાં ખાદ્ય મોંઘવારી સાધારણ રહેવાની ધારણા છે.