26.9 C
Kadi
Tuesday, May 30, 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૭૮ કરોડના ખર્ચે નવીનકરણ થશે


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારદાબેન હોસ્પિટલનું અંદાજીત રૂ. ૧૭૮ કરોડના ખર્ચે નવીનકરણ કરી મલ્ટીસ્ટોરીડ હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારની હોસ્પિટલને અત્યાધુનિક બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલના કામને મંજૂર કરાયા બાદ નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરાયા બાદ હોસ્પિટલના આ કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેથી પૂર્વ વિસ્તારમાં વધુ એક સુવિધા જનસુખ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. શારદાબેનનું નવીનીકરણ તથા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની અત્યાધુનિક વિશેષતાઓ છે.

આ છે તેની વિશેષતાઓ

 કુલ ૩૧૦૪૮ ચો.મી.ના પ્લોટ એરીયામાં ગ્રાઉન્ડ ફ્લોર 5 માળમાં હોસ્પિટલ બ્લોક, આઈ.પી.ડી. બ્લોક, ઓ.પી.ડી. બ્લોક, યુટીલીટી બ્લોક, શબઘર, રેસીડેન્ટ મેલ અને ફીમેલ બ્લોક, ફેમીલી ક્વાટર્સ તેમજ નર્સ ક્વાટર્સ તૈયાર થશે. આ ઉપરાંત નવી તૈયાર થનાર હોસ્પિટલમાં ૧૮૦ બેડ, ૧૨૦ icu બેડ, ૧૨ ઓપરેશનલ થિયેટર કોન્ફરન્સ હોલ બનશે.
 આ ઉપરાંત ગાયનેક, રેડીયોલોજી, પીડીયાટ્રીક, ઓર્થોપેડિક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ સહિતની વિશેષતાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આમ નવીન ભેટ મળી રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!