30.9 C
Kadi
Thursday, March 30, 2023

ભારતમાં વપરાતા 97% મોબાઈલ મેડ ઈન ઈન્ડીયા છે : રાજ્યમંત્રી IT રાજીવ ચંદ્રશેખર


ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતા 97 % મોબાઈલ મેડ ઈન ઈન્ડિયા છે. રાજીવ ચંદ્રશેખરે આ બાબતો CyFY 2022 દરમિયાન ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ORF)ની એક ઇવેન્ટમાં કહી હતી. તેમણે કહ્યું કે, 2014માં ભારતમાં વપરાતા 92 % મોબાઈલ ફોન આયાત કરવામાં આવતા હતા, પરંતુ આજે ભારતમાં વપરાતા 97 % ફોન ભારતમાં બને છે. આજે ભારતમાંથી 12 અબજ ડોલર એટલે કે લગભગ 98,800 કરોડ રૂપિયાના ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નિકાસ થઈ રહી છે.

રાજીવ ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે, નવું ડેટા પ્રોટેક્શન બિલ “ખૂબ જ સરળ અને આધુનિક” હશે. ગોપનીયતાનો અધિકાર અને ડેટા સંરક્ષણ એ ભારતમાં મૂળભૂત અધિકારો છે અને ડેટા પ્રોટેક્શન બિલ આ અધિકારોને ઓળખવા અને સ્થાપિત કરવામાં ખૂબ પ્રગતિશીલ રહેશે. નવા પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં સંસદના બજેટ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

તેમણે કહ્યું કે, ભારત સેમિકન્ડક્ટર અને માઈક્રો-ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંબંધિત પ્રતિભા અને ઈનોવેશન માટે માત્ર સ્થાનિક હબ તરીકે ઉભર્યું નથી, પરંતુ ઈનોવેશન અર્થતંત્રનું વૈશ્વિક હબ બનવા માટે પણ તૈયાર છે. તેમના મતે 2014થી ભારતે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!